અમદાવાદ: ખોખરામાં આવેલી જય સોમનાથ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ધોરણ -10માં ઓછા ટકા આવેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં એડમિશન ન આપ્યું નથી. અને 15 જેટલા વિદ્યાર્થીઓને LC આપી દીધા છે. જેથી વાલીઓ દ્વારા સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્કૂલે ધોરણ-10માં પાસ થયેલા બી-ગ્રેડના વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ ન આપતા આજે સવારે વાલીઓએ વાટકા લઈ એડમિશન ભીખમાં આપો તેવો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ખોખરા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે જય સોમનાથ સ્કૂલમાં ધોરણ 1થી 10માં અભ્યાસ કર્યા બાદ ઓછા ટકા આવ્યા હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નથી. અગાઉ સ્કૂલે વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને મેરિટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ વહેલા તે પહેલાના ધોરણે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો છે. જેથી એડમિશન ફૂલ થઈ ગયા છે તેવું સ્કૂલે જણાવ્યું હતું.