- Advertisement -
અંબાજી/ પાલનપુર: રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજથી ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહ્યું તેવા સમયે અંબાજી ખાતે બેરોજગારો અને ખેડૂતોનો મુદ્દો લઈને એકતા યાત્રાનો પ્રારંભ કરશે.
એકતા યાત્રા માટે અલ્પેશે આધુનિક રથ બનાવડાવ્યો છે. જેમાં આરામદાયક સોફા, મિની ફ્રિજ, ટીવી સેટ, સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધાઓ રાખી છે.