અમાસનું મહત્વ હિન્દૂ ધર્મ માં પિતૃ પૂજા માટે ઘણું છે કેમકે ભાદરવી અમાસ તિથિ ના દેવતા પિતૃ છે, ભાદરવા વદમાસ ની અમાસ સર્વપિતૃ ના પૂજન હેતુ અથવા જેમના પિતૃની તિથિ ની ખબર ના હોય તેમના માટે આ દિવસે પૂજન કરાય છે, ચૈત્ર વદ માસ માં પણ પિતૃ પૂજન કરતા હોઈ છીયે, આ ઉપરાંત દર હિન્દૂ માસ ના વદ પક્ષમાં આવતી અમાસ ના દિવસે પણ પિતૃ અર્થે પૂજન કરવામાં આવતું હોય છે કેમકે અમાસ ની તિથિ ના દેવ પિતૃ છે તેમાં પણ ખાસ સોમવારે આવતી સોમવતી અમાસ અને બુધવારે આવતી બુધવારી અમાસ પણ વિશેષ પૂજન અર્થે મહત્વ ધારે છે,
પિતૃ દોષ હેતુ રાહુ ગ્રહ ની ગણતરી ને અન્ય ગ્રહયોગ કરતા થોડું વધુ મહત્વ આપવા માં આવે છે
તા.૬/૩/૨૦૧૯ બુધવાર, મહાવદ ૩૦, શતતારા નક્ષત્ર ( જે રાહુ ગ્રહ નું નક્ષત્ર છે )
પિતૃપૂજા માટે સવાર થી બપોર સુધી એટલે દિવસ ના મધ્ય ભાગ સુધી અને સાંજ થતા પેહલા કરવી ઇચ્છનીય છે, સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સરળ રીતે પોતાના પિતૃ નું પૂજન કરી શકે તે હેતુ સવારે શિવ મંદિર માં જઈ શિવલિંગ પર તેમજ તેના આભૂષણ રૂપી સર્પ પર જળ, દૂધ ( ગરમ કર્યા વગરનું ), અને પંચામૃત વડે અભિષેક કરવો, જો અનુકૂળ આવે તો અભિષેક કરતી વખતે પોતાનું મુખ નૈઋત્ય દિશા ( દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે નો ખૂણો ) માં રાખવું ઇચ્છનીય છે, ત્યારબાદ જળ વડે પીપળા ના વૃક્ષ ના મૂળ માં જળ ( જો શક્ય હોય તો તેમાં થોડા જવ ઉમેરવા ) સિંચન કરતી વખતે પ્રદાક્ષિણા કરી પિતૃ ની શાંતિ અને સદ્દગતી માટે પ્રાર્થના કરવી ( આ દરમિયાન પણ પોતાનું મુખ નૈઋત્ય ખૂણા માં રહે તો સારું, ) આ પૂજન વખતે કાળા કે કાબરચિત્રા કપડાં ના પહેરવા અને ચામડા નો પટ્ટો કે પર્સ ના રાખવું, પીપળા ના વૃક્ષ નીચે પતાસુ પ્રસાદ તરીકે મુકવું.
વૈષ્ણવ પંથી પિતૃ શાંતિ હેતુ ગજેન્દ્રમોક્ષ ના પાઠ વાંચવા એ ઇચ્છનીય છે
ગરીબ ને યથાશક્તિ દાન, ગાય અને કુતરા ને રોટલી આપવી.
સાંજે ઘરમાં શક્ય હોય તો ગૂગલ નો ધૂપ કરવો અને તેમાં પાતાસું, લવિંગ એક નંગ મૂકી કરવાથી પિતૃ ખુશ થાય છે અને તેમના આશીર્વાદ મળે છે,