આ મહિનાના અંત સુધીમાં દેશના અડધા એટીએમ બંધ થઈ શકે છે. કન્ફેડરેશન ઑફ એટીએમ ઈન્ડસ્ટ્રી એટલેકે CATMiની તરફથી આ સૂચના આવી છે. ઈન્ડસ્ટ્રીએ એટીએમ બંધ થવા પાછળનું કારણ ટેકનિકલ અપગ્રેડને જણાવ્યું છે. અહીં જણાવવાનું કે દેશમાં લગભગ 2.38 લાખ એટીએમ છે, જેમાંથી લગભગ 1.13 લાખ એટીએમ બંધ થઈ શકે છે. એટીએમ બંધ થવાથી હજારો નોકરીઓ પર અસર પડશે. અહીં જણાવવાનું કે CATMi આ વાતની આશંકા ગયા વર્ષે પણ વ્યક્ત કરી છે.
મામલો શું છે- CATMiએ નિવેદનમાં કહ્યું કે જે ATM બંધ થઈ શકે છે, તેમાંથી મોટાભાગના બિન-શહેરી ક્ષેત્રોના હશે. જેનાથી નાણાંકીય લાભના પ્રયત્નો પ્રભાવિત થઈ શકે છે, કારણકે લાભાર્થી ATMનો ઉપયોગ સરકારી સબસિડી કાઢવા માટે પણ કરે છે.
ATM બંધ થવા પાછળનું કારણ: CATMiએ કહ્યું કે ATM હાર્ડવેર અને સૉફ્ટવેર અપગ્રેડ સહિત હાલમાં થયેલા રેગ્યુલેટરી ફેરફાર, કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડને લઇને અધ્યાદેશો અને કેશ લોડિંગના કેસેટ સ્વેપ મેથડથી ATM ઑપરેટ કરવુ નુકસાનકારક થશે. કારણકે તેને બંધ કરવુ પડશે. CATMiએ અનુમાન લગાવ્યું હતું કે ફક્ત નવા કેશ લૉજિસ્ટિક્સ અને કેસેટ સ્વેપ મેથડથી ATM ઈન્ડસ્ટ્રી પર 3000 કરોડ રૂપિયાના ખર્ચનો ભાર પડશે.
હવે આગળ શું- CATMi મુજબ, ઈન્ડસ્ટ્રીની સ્થિતિમાં ફેરફાર લાવવાનો આ જ એક માર્ગ છે અને અનુપાલનની મોટાભાગનો ખર્ચનો ભાર ઉઠાવવા માટે બેંક આગળ આવે. જો ATM ડિપ્લૉયર્સને બેંકો દ્વારા આ રોકાણનું વળતર મળતુ નથી, તો સંભાવના છે કે કોન્ટ્રાક્ટ સરેન્ડર કરવાની સ્થિતિ ઉભી થાય અને મોટા પાયા પર એટીએમ બંધ કરવુ પડે.
ATM સર્વિસ પડી રહી છે મોંઘી- દેશમાં ATM લગાવવાની સર્વિસથી થતી આવક વધતી નથી. જેનું કારણ ખૂબ જ ઓછા ATM ઈન્ટરચેન્જ ચાર્જિસ અને સતત વધતો ખર્ચ છે.