આગામી 23 એપ્રીલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે આયોજિત થઈ રહેલી ચૂંટણી પહેલા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડીને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવા અપીલ કરી છે.
મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં બપોરે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી લોકોને કામ વગર બહાર ન નીકળવા સલાહ આપી છે. લોકોને વધુને વધુ પાણી પીવા, લીંબુ શરબત અને ઓઆરએસ પીવાની સલાહ આપી છે. ચૂંટણી ઉપર દરેક બુથ ઉપર ઓઆરએસ અને દવાનો જથ્થો રાખવાનો પણ નિર્ણય કરાયો છે.