જામફળ તો આપણે સૌએ ચાખ્યું હશે પરંતુ મોટાભાગના લોકો તેના પાંદડાથી થતા લાભથી અજાણ હોય છે. જામફળના પાન શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં દવા જેવું કામ કરે છે. આ સમસ્યા એવી છે કે જેના કારણે વ્યક્તિએ શરમ અનુભવવી પડે છે. આ સમસ્યા છે ખરતા વાળ અને માથામાં પડતી ટાલની સમસ્યા.
વાળની આ તકલીફને દૂર કરવામાં જામફળના પાન તમને મદદ કરી શકે છે. તો ચાલો જાણી લો કે કેવી રીતે આ પાનથી તમે ટાલની સમસ્યાને દૂર કરી શકો છો.
ખરતા વાળ અટકાવવા હોય તો એક વાટકી જામફળના પાન લઈ તેને એક વાટકી પાણીમાં 20 મિનિટ સુધી ઉકાળવા. આ પાણીને ઠંડુ કરવા સાઈડ પર રાખી દો. ઠંડુ થયા બાદ તેની પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવી દો.
આ પેસ્ટને વાળમાં 4 કલાક સુધી રાખો અને પછી પેસ્ટને વાળમાંથી કાઢી નાંખો. પેસ્ટ લગાવ્યા બાદ વાળમાં શેમ્પૂ ન કરવું. બીજા દિવસે સવારે વાળ શેમ્પૂ કરી લેવા. આ પ્રયોગ નિયમિત કરવાથી વાળ ખરતાં અટકશે.