હેલ્થ ડેસ્કઃ એક બાઉલ તાજું દહીં શરીરની અડધી બીમારીઓ દૂર કરી દે છે. દહીં એક પ્રકારનું પ્રોબાયોટિક છે જે પેટ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક નીવડે છે. દહીં ખાવાથી ગેસ થતો નથી. તેમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી6 અને બી12 પણ હોય છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીમાં પોટેશિયમ પણ છે જે પાચનતંત્ર સુધારે છે. ચાલો જાણીએ કે દહીં શરીર માટે કેટલું ફાયદાકારક છે.
ગેસની સમસ્યામાંથી છૂટકારો
જો તમને જમ્યા પછી ગેસ થતો હોય તો દહીં ખાવ. દહીંથી શરીરમાં પાચન સારી રીતે થાય છે અને તે પેટની ગરમીને શાંત કરી ગેસ થતો અટકાવે છે. જમ્યા પછી દહીં ખાવાથી ખોરાક પણ સારી રીતે પચી જાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
ત્વચા માટે લાભદાયી
દહીં ત્વચા અને વાળ બંને માટે ફાયદેમંદ છે. દહીં સાથે ચણાનો લોટ મિક્સ કરી તમે તેને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વચા નરમ રહે છે અને રંગ નિખરે છે. દહીંના ઉપયોગથી ચહેરાનું ટેનિંગ પણ દૂર થાય છે. વાળમાં દહીં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
દાંત, નખ અને હાડકાં માટે દહીં ફાયદાકારક
દહીંમાં કેલ્શિયમ હોવાથી તે હાડકાં વધુ મજબૂત બનાવે છે. દહીં હાડકાંની સાથે તમારા દાંત અને નખ માટે પણ ફાયદાકારક હોય છે. તેથી, શરીરને સ્વસ્થ રાખવા દરરોજ એક બાઉલ દહીં ખાવું જોઇએ.