અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ હાલ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ચાલતી દારૂબંધીને લઈને નિર્ણય કર્યો હતો કે પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વાહનો છોડાવવા માટે પહેલા નીચલી કોર્ટમાં અરજી કરવી પડશે. નીચલી કોર્ટ મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા વાહનો છોડવાની અરજી ફગાવે ત્યારબાદ જ હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે. પરંતુ તેમછતાં જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી મુદ્દામાલ છૂટશે નહીં. ત્યારે હાલની પરિસ્થિતિમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત જપ્ત વાહનોનું ભવિષ્ય અનિશ્ચિત છે.