Tuesday, April 16, 2024
Homeપત્નીના આડાસંબંધોને લઇ પહેલાં પતિ અને પછી પત્નીનો આપઘાત
Array

પત્નીના આડાસંબંધોને લઇ પહેલાં પતિ અને પછી પત્નીનો આપઘાત

- Advertisement -

વિસનગર: સતકૃપા સોસાયટીમાં રહેતા દંપતીએ કરેલા આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. મહિલાને તેના પતિના મિત્ર સાથે અાડાસંબંધ હોવાની અને તેણે જ મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ મૃતક યુવકના પિતાએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવતાં ખળભળાટ મચ્યો છે. યુવકના કાકાએ ફરિયાદ નહીં કરવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

 

વિસનગરના અક્ષય પટેલનાં લગ્ન હાલોલની જ્યોત્સનાબેન સાથે થયાં હતાં. અક્ષયના મિત્ર દિપ મહેન્દ્રભાઇ પટેલને જ્યોત્સનાબેન સાથે આડાસંબંધ હોવાની જાણ અક્ષયને થતાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ શરૂ થતાં જ્યોત્સનાબેન પિયર હાલોલ જતાં રહ્યાં હતાં. જેથી લાગી આવતાં ગત 17 જાન્યુઆરીએ અક્ષય પટેલે ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે બનાવના બે દિવસ બાદ 19 જાન્યુઆરીએ પણ હાલોલ ખાતે પિયરમાં આપઘાત કર્યો હતો. મહેન્દ્રભાઇ પટેલે તેમને મરી જવા મજબૂર કર્યા હોવાની તેમજ તેના કાકા પટેલ ગોપાળભાઇ દિપનું નામ નહીં આપવા તેમજ ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હોવાનું જણાવી મૃતક અક્ષય પટેલના પિતા રોહિતકુમાર જોઇતારામ પટેલે ફરિયાદ આપી હતી. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular