14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલા આંતકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે. સાથે જ પાકિસ્તાનની આ કાર્યને કાયરતાપૂર્ણ કહેવામાં આવ્યું છે. તેવામાં ભારતમાં પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી સલમાન ખાન માટે એક ખરાબ સમાચાર છે જે તેમના ફેન્સને પણ નિરાશ કરી શકે છે.
બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ભારત’ને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. તેવામાં ખબર એ છે કે હવે આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ઈન્ડિયાની જેમ પાકિસ્તાનમાં પણ ભાઈજાનની સારી ફેન ફોલોઈંગ છે. પાકિસ્તાનમાં પ્રેક્ષકો આતુરતાથી તેમની ફિલ્મ માટે રાહ જુએ છે. પરંતુ પાકિસ્તાન સરકારના કલાકારોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, છેલ્લા વર્ષે મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોરમેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ઓફ પાકિસ્તાન દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે મુજબ પાકિસ્તાનમાં કોઈ પણ ભારતીય ફિલ્મ ઇદના બે દિવસ પહેલા અને બે અઠવાડિયા સુધી રિલીઝ નહીં થાય. જણાવવામાં આવી રહ્યું છે કે ઇદના પ્રસંગે, પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જાટ’ સિનેમામાં રજૂ થઈ રહી છે.
આ જ કારણોના લીધે સલમાન ખાનની ‘રેસ-3’ પણ પાકિસ્તાનમાં રિલીઝ થઈ શકી ન હતી. મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોરમેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ઓફ પાકિસ્તાનના આ સર્કુલરથી સલમાન ખાનની ‘ભારત’ની રીલિઝ ડેટ બદલવામાં આવશે કે નહીં તેનો ખુલાસો થયો નથી. ત્યાં જ આ વાતને લઈને પણ સસ્પેન્સ છે કે પાકિસ્તાન તરફથી થઈ રહેલા આતંકી હુમલાઓની વચ્ચે સલમાન ખાન ફિલ્મ ‘ભારત’ને રિલીઝ કરે છે કે નહીં.
કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને પુલવામા હુમલાના શહિદોની શહાદતને ધ્યાનમાં રાખી પોતાની ફિલ્મના પાકિસ્તાની સિંગર આતિફ અસ્લમને બહારનો રસ્તો દેખાડી દીધો છે. નોંધપાત્ર છે કે આતિફ આગામી મહિનામાં સલમાન ખાનના પ્રોડકશન ‘સલમાન ખાન ફિલ્મસ’ના બેનરના આધારે બનેલ ફિલ્મ ‘નોટબુક’માં ગીત ગાવવાના હતા. પરંતુ હવે સલમાન ખાને આતિફને રિજેકટ કરી દીધો છે. જણાવવામાં આવે છે કે આતિફ અસ્લમની જગ્યાએ સલમાન ખાન હવે ફિલ્મ ‘નોટબુક’માં અરમાન મલિકને સિંગર તરીકે સિલેક્ટ કરી શકે છે.
જણાવી દઇએ કે આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરીના કેફ, તબ્બૂ, દિશા પટની અને કોમેડિયન સુનીલ ગ્રોવર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખબરોની માનીએ તો ફિલ્મ ‘ભારત’ આ વર્ષે ઈદ પર સિનામાઘરોમાં રિલીઝ થશે.