સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી રાંદલ મહાકાલી મંદિર નો દ્વિતિય પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી તો પ્રસંગે ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કરી પ્રસાદ લઇને ધન્યતા અનુભવી .
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ પૌરાણિક અને પ્રાચીન વાવ ખાતે આવેલ શ્રી રાંદલ મહાકાલી મંદિર ના દ્વિતીય પાટોત્સવ ની મંદિર વ્યવસ્થા શૈલેષભાઇ ત્રિવેદી , અમરીશભાઇ સોની તથા મંદિર વ્યવસ્થાપક કમીટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો વર્ષો જુના આ મંદિર ની સ્થાને બે વર્ષ અગાઉ વિશાળ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ મહાકાલી મંદિર સમગ્ર પંથક માં પ્રચલિત બનેલ છે તો મંદિર સંકુલમાં ધર્મશાળા તેમજ ભોજનાલય શરૂ કરવામાં આવી છે તો પાટોત્સવ દરમ્યાન પ્રાંતિજ- સહિત તાલુકામાંથી ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાલી માતાના તથા હવનના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા