Friday, May 23, 2025
Homeબ્યૂટી ટિપ્સ : આ ખાસ પાણીથી ચહેરો ધોઇ જુઓ,ફેશિયલ વિના જ નિખરી...
Array

બ્યૂટી ટિપ્સ : આ ખાસ પાણીથી ચહેરો ધોઇ જુઓ,ફેશિયલ વિના જ નિખરી ઉઠશે ચહેરો

- Advertisement -

ભાદરવાની ગરમી હોય કે ઉનાળો, આ દિવસોમાં ત્વચાને વિશેષ સંભાળની જરૂર હોય છે. સામાન્ય રીતે ત્વચા રોગ નિષ્ણાંતો ઠંડા પાણીથી ચહેરો ધોવાની સલાહ આપે છે. દિવસમાં બેથી ત્રણવાર ઠંડા પાણીથી ચહેરો ધોવાને લીધે તાજગીનો અનુભવ થાય છે.

ઉનાળામાં ચહેરા પર પાણી છાંટવાથી ઘણો આરામ મળે છે પરંતુ શું તમે જાણો છો. નારિયળ પાણીથી ચહેરો ધોવો સામાન્ય પાણીની સરખામણીએ વધારે લાભદાયી છે. નારિયેળ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની કાંતિ જળવાઈ રહેવાની સાથે સાથે સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ પણ ઘટી જાય છે. તેમજ નારિયેળ પાણીમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ તત્વ પણ ત્વચાને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

નાળિયેર પાણીથી ચહેરો ધોવાના લાભ

1. જો તમારા ચહેરા પર વધારે ડાઘ-ધબ્બા હોય અને કચરલીની ફરિયાદ રહેતી હોય તો નાળિયેળ પાણીથી ચહેરો ધોવા લાભદાયી રહેશે. આનાથી ચહેરાના ડાઘ તો સરળતાથી જતાં જ રહેશે ચહેરાનો નેચરલ ગ્લો પણ જળવાઈ રહેશે.

2. જો ચહેરા પર વધારે ખીલ થઈ ગયા હોય તો નાળિયેર પાણીથી રાહત થશે. ઉનાળામાં ઓઇલી સ્કિનવાળાને ખીલની ફરિયાદ વધારે રહે છે. આવામાં નાળિયેરપાણીથી ચહેરો ધોવાથી ચોક્કસ લાભ થશે.

3. આંખ નીચેની કાળા કુંડાળાને દૂર કરવા માટે પણ નાળિયેર પાણીનો ઉપયોગ કરવો લાભદાયી રહેશે. રૂના પૂમડાને નાળિયેર પાણીમાં પલાળીને આંખના પોપચા નીચે લગાવો. આમ કરવાથી થોડાં દિવસોમાં જ કાળા કુંડાળા જતાં રહેશે.

4. જો તમને સ્વસ્થ ત્વચાની સાથે સાથે ગોરો રંગ પણ જોઈતો હોય તો નારિયેળ પાણીનો ઉપાય અવશ્ય કરજો.

5. ઉનાળામાં ટેનિંગની સમસ્યા થઇ જતી હોય છે. આવામાં તડકામાં દાઝી ગયેલી ત્વચામાં નિખાર લાવવા માટે નારિયેળ પાણીથી ચહેરો ધોવાથી લાભ થશે.

જો રોજે નાળિયેર પાણીથી ફેસ ધોવાનું શક્ય ના હોય તો એના પાણીમાં રૂનું પૂમડું ભીનું કરીને ચહેરો સાફ કરી લો, આનાથી પણ ફાયદો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular