- Advertisement -
રાજકોટઃ સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગની ઘટનાથી 23 બાળકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યાના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટના રિબડામાં ડાયરાની મોજ માણી રહ્યા છે. રિબડામાં યોજાયેલા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના જીવતાં જગતિયામાં યોજાયેલ ડાયરામાં ભુપેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. જોકે સુરતની ઘટનામાં પોતે એક્શન લેવાના બદલે સુરત કોર્પોરેશનની ભુલ બતાવી ભુપેન્દ્રસિંહે માનવતાની હદતો વટાવી જ દીધી હતી.