રામ મંદિર-બાબરી મસ્જીદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થી માટે મોકલવો કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. આજે સુપ્રીમમાં હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન બંને પક્ષકારોના વકીલોએ દલીલો શરૂ કરી હતી. સુનાવણી દરમ્યાન જજોએ બંને પક્ષકારોને વાતચીતથી કોઇ રસ્તો કાઢવાનું ફરી એક વખત સૂચન કર્યું. જસ્ટીસ બોબડેએ સુનાવણી દરમ્યાન કહ્યું કે અમે આ મામલાની ગંભીરતાને સમજીએ છીએ તેમજ તેની રાજકીય અસરોને પણ સમજીએ છીએ.
રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી શરૂ થઇ છે. રામ મંદિર-બાબરી મસ્જીદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થી માટે મોકલવો કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષકારોના વકીલોએ દલીલો શરૂ કરી હતી. સુનાવણી દરમ્યાન જજોએ બંને પક્ષકારોને વાતચીતથી કોઇ રસ્તો કાઢવાનું ફરી એક વખત સૂચન કર્યું. જસ્ટીસ બોબડેએ સુનાવણી દરમ્યાન કહ્યું કે અમે આ મામલાની ગંભીરતાને સમજીએ છીએ તેમજ તેની રાજકીય અસરોને પણ સમજીએ છીએ.
આ મામલો જમીન સાથે નહીં પરંતુ લોકોના દિલ, દિમાગ અને ભાવનાઓ સાથે જોડાયેલો છે. મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને ફરી એક વખત વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. તેમજ તેમણે દાવો કર્યો હતો કે નિર્મોહી અખાડા પણ વાતચીત માટે તૈયાર છે. જે બાદ જસ્ટીસ બોબડેએ ઉપસ્થિત તમામ પક્ષકારોને પૂછ્યું હતું કે કોર્ટ આ મામલે ચૂકાદો આપશે તો તે સૌને માન્ય રહેશે ને.
Supreme Court on Ayodhya Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Justice SA Bobde says, "When the mediation is on, it should not be reported on. It may not be a gag, but no motive should be attributed to anyone when the mediation process is on." https://t.co/PFTl4FNY54
— ANI (@ANI) March 6, 2019
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી દરમ્યાન પણ સલાહ આપી હતી કે બંને પક્ષકારો વાતચીતનો રસ્તો કાઢવા માટે વિચાર કરે. જો એક ટકો પણ વાતચીત થવાની શક્યતા હોય તો તેનો પ્રયાસ કરવો જોઇએ તેમ સુપ્રીમે જણાવ્યું હતું.. જો કે આ દરમ્યાન મુસ્લિમ પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે તેઓ વાતચીત માટે પ્રયાસો કરી શકે છે. પરંતુ રામ મંદિર પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે વાતચીતના પ્રયાસો પહેલા થઇ ચૂક્યા છે અને મધ્યસ્થીની કોઇ શક્યતા નથી.
SC on Ayodhya Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Justice SA Bobde says, “We have no control over what happened in the past, who invaded, who was the king, temple or mosque. We know about the present dispute. We are concerned only about resolving the dispute," pic.twitter.com/23dEMnKrMH
— ANI (@ANI) March 6, 2019
મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને કોર્ટને જણાવ્યું હતું કે જો કોર્ટ ઇચ્છે છે તો તેઓ વાતચીતનો પ્રયાસ કરી શકે છે. પરંતુ હિંદુ પક્ષકારોના વકીલ રંજીત કુમારે જણાવ્યું હતું કે સમગ્ર મામલે મધ્યસ્થી શક્ય જ નથી. આથી મામલાની આગળ સુનાવણી થવી જોઇએ.