રણવીર સિંહ અને દીપિકા પદુકોણ હાલ લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. રણવીર હવે પત્નીની સૂચના પ્રમાણે પોતાની આદતમાં બદલાવ લાવી રહ્યો છે. એક કહ્યાગરા કંથની માફક તે પોતાની પત્નીને નારાજ કરવા રાજી નથી.
રણવીરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે લગ્ન બાદ ત્રણ કામ કરવાનો નથી. દીપિકાએ તેને આમ કરવાની કડક સૂચના આપી છે. રણવીરે વધુમાં કહ્યું હતું કે, પહેલું કામ તે હવે ઘરની બહાર કામ સિવાય વધુ સમય રોકાશે નહીં. બીજું એ કે, એ જમ્યા વિના ઘરની બહાર ડગલું નહીં માંડે અને બીજું એ કે તે કોલ મિસ નહીં કરે. રણવીરની આ વાત પરથી લાગે છે કે તે એક સારો પતિ બનાવનો પ્રયાસ કરી રહ્યો છે.
રણવીર અને દીપિકાના લગ્નને હજી તો બે જ મહિના થયા છે. ત્યાં તો રણવીરે પત્નીની સૂચનાઓની વાત જાહેરમાં કરવા લાગ્યો છે. આ પરથી લાગે છે કે તેને પત્નીને ખુશ રાખવામાં જ રસ છે. દીપિકા ખુશ રહે એ જ તેના પ્રયાસ હશે.
જણાવી દઇ કે આ કપલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતા. આ અવસરે તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જ સામેલ થયાં હતા. લગ્ન બાદથી જ આ કપલ ચર્ચામાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે રણવીર કપિલ દેવની બાયોપિક ’83’માં દીપિકા સાથે નજરે પડશે.
રિપોર્ટસ અનુસાર આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે તેવી ચર્ચાઓ હતી. જ્યારે રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. જો કે આ ફિલ્મની ઑફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જોઇએ. દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જોવા નહીં મળે.