નવી દિલ્હી: આજે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે પાકિસ્તાનથી ભારત પરત આવશે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે.
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સહિત વાયુસેનાના સીનિયર અધિકારીઓ અને મોદી સરકારના ઘણાં મંત્રીઓ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે. આ પહેલાં અમરિંદર સિંહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું પંજાબમાં સીમાવર્તી વિસ્તારોની મુલાકાત કરી રહ્યો છું અને હાલ અમૃતસરમાં છું. ખબર પડી કે પાકિસ્તાન સરકારે વાઘાથી અભિનંદનને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે સન્માનની વાત છે કે હું એનું સ્વાગત કરું અને રિસીવ કરવા જઉં. કારણકે તે અને તેમના પિતા એનડીએના પૂર્વ વિદ્યાર્થીઓ છે.
Dear @narendramodi ji , I’m touring the border areas of Punjab & I’m presently in Amritsar. Came to know that @pid_gov has decided to release #AbhinandanVartaman from Wagha. It will be a honour for me to go and receive him, as he and his father are alumnus of the NDA as I am.
— Capt.Amarinder Singh (@capt_amarinder) February 28, 2019
ભારતના કડક વલણ સામે પાકિસ્તાને 30 કલાકમાં કરી મુક્તિની જાહેરાત
પાકિસ્તાને સોદેબાજીનો પ્રયત્ન કર્યો હતો
વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની જાહેરાતકરતાં પહેલાં પાકિસ્તાને ઘણો સોદાબાજીનો પ્રયત્ન કર્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મુહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે, પાકિસ્તાનના કબજામાં ભારતીય પાયલટ સુરક્ષીત અને સ્વસ્થ છે. ભારતે પાયલટનો મુદ્દો ઉઠાવ્યો હતો. થોડા દિવસમાં અમે નિર્ણય કરીશું કે, કઈ સંધિ લાગુ કરવામાં આવે અને ભારતીય પાયલટને યુદ્ધબંધી જાહેર કરવો કે નહીં.
ત્યારપછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પાકિસ્તાનની એક ટીવી ચેનલને કહ્યું હતું કે, જો પાયલટને છોડવાછી ડિ-એસ્કેલેશન થતું હોય એટલે કે તણાવમાં ઘટાડો થતો હોય તો તેઓ પાયલટને પરત મોકલવા તૈયાર છે. તે સમયે જ કુરૈશીએ કહ્યું હતું કે, પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન ભારતના પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરવા તૈયાર છે.