દેવતાઓમાં ભગવાન શિવની (Shiv) પૂજા માટે શ્રાવણ (Shravan) મહિનો સૌથી શુભ અને કલ્યાણકારી ગણવામાં આવ્યો છે. આજે 21મી જુવાઇથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આ મહિનામા ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી ભોલેનાથ જલદી પ્રસન્ન થશે. શ્રાવણ મહિનામાં વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવાથી તેમની કૃપા જરૂર પ્રાપ્ત થઈ શકે છે. દેવતાઓમાં પણ ભગવાન શિવ સૌથી જલદી પ્રસન્ન થનારા દેવ છે.
માનવામાં આવે છે કે, ભગવાન શિવનું શિવલિંગ એટલું પવિત્ર હોય છે કે તેની પૂજાથી તમારી આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ પાસે દરેક મુશ્કેલીનું નિવારણ રહેલું છે. તેથી પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવામાં આવે છે. ભગવાન શિવની પૂજા શિવલિંગની પૂજા અભિષેક કરીને કરી શકાય છે. અભિષેક માટે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શિવલિંગ પર જો અનેક વસ્તુનો અભિષેક કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે, આવો તે વસ્તુ વિશે માહિતી મેળવીએ.
શેરડીનો રસ – માનવામાં આવે છે, કે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવાથી નાણાકીય સમસ્યા દૂર થાય છે.
મધ- શિવલિંગ પર મધ અર્પણ કરવાથી સારા આરોગ્યના આશિષ પ્રાપ્ત થાય છે.
ઘી – શિવલિંગ પર ઘી લગાવવાથી સંતાનોને લાભ થાય છે, તેઓ સ્વાસ્થ અને બુદ્ધિશાળી થાય છે.
અત્તર- ભગવાન શિવને અત્તર અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે, તેનાથી જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.
દૂધ અને ગંગા જળ- શિવલિંગને દૂધ અને ગંગા જળથી સ્નાન કરાવવાથી તમારો આત્મા સાફ થશે, અને ચિંતાઓ દૂર થશે.