- Advertisement -
સુરતઃરાંદેર રોડ પર આવેલી પ્રભાત તારા પબ્લિક સ્કૂલની માન્યતા વર્ષ 2016માં પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં સંચાલકો દ્વારા સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. અને વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવી રહ્યાં હતાં. વગર પરમીશને ચાલતી આ સ્કૂલ સામે સુરત ડીઈઓએ રાંદેર પોલીસ મથકમાં ગંભીર છેતરપીડિંની ફરિયાદ આપી હતી.જેના પગલે પોલીસે શાળાના આચાર્ય અને સંચાલકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.