- Advertisement -
વડોદરાઃ અંકલેશ્વર GIDCમાં આવેલી રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રીના સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેને કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. આ બ્લાસ્ટને પગલે આગ લાગતા 4 કામદારો દાઝી ગયા હતા.
બ્લાસ્ટમાં દાઝી ગયેલા કામદાર સૌરભ યાદવ, સાહિલ અલી, જયેન્દ્ર પરમાર અને દર્શક નાયકને અંકલેશ્વરની પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે બીએપીએસ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.