Thursday, April 18, 2024
Homeઅમે જૈશ આતંકીઓ પર કાર્યવાહી કરીઃ સુષ્મા; પાક વિદેશ મંત્રીનો OICમાં હાજર...
Array

અમે જૈશ આતંકીઓ પર કાર્યવાહી કરીઃ સુષ્મા; પાક વિદેશ મંત્રીનો OICમાં હાજર રહેવાનો ઇન્કાર

- Advertisement -

બીજિંગઃ ચીનના વુઝેનમાં રશિયા-ભારત-ચીનના વિદેશ મંત્રીઓની 16મી બેઠક ચાલી રહી છે. તેમાં સુષમા સ્વરાજે પુલવામા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. સુષમાએ પાકની બોર્ડરમાં ભારતના હુમલાને લઇને કહ્યું કે, આ કોઇ સૈન્ય અભિયાન નહતું. તેમાં પાકિસ્તાનના કોઇ પણ સૈન્ય પ્રતિષ્ઠાનને નિશાન નથી બનાવામાં આવ્યું. માત્ર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારત કોઇ પણ પ્રકારે તણાવ વધારવા નથી ઇચ્છતું, અમે જવાબદારી અને સંયમથી કામ કરતા રહીશું. પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશના અનેક ઠેકાણાંઓને નષ્ટ કરી દીધા હતા જેમાં 350 આતંકીઓ માર્યા ગયા હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રીની OIC મીટિંગમાં હાજરીનો ઇન્કાર 

ચીન બાદ સુષમા સ્વરાજ યુનાઇટેડ આરબ અમિરાતમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (OIC)માં ભાગ લેવા જશે. જેના પગલે પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટર શાહ મહેમૂદ કુરૈશીએ આ સમિટમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે.

કુરૈશીએ કહ્યું કે, અમે આ મુદ્દે યુએઇના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી છે. અમે સુષમા સ્વરાજની હાજરીનો વાંધો ઉઠાવ્યો છે. અમે આ સમિટના અધિકારીઓને કહ્યું કે, ભારતે ઘાતક હુમલો કર્યો છે.

ભારતમાં હુમલાની યોજના બની રહી હતી
સુષમાએ કહ્યું કે, પાકિસ્તાન પોતાની જમીન પર આતંકી જૂથો હોવાના અને તેના પર કાર્યવાહી કરવાનો સતત ઇન્કાર કરતું રહ્યું હતું. જૈશ ભારતના અનેક હિસ્સાઓમાં આતંકી હુમલાનું કાવતરું કરી રહ્યું હતું. આ જ કારણોસર અમારી સરકારને અચાનક હુમલાનો નિર્ણય લેવો પડ્યો. અમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે, આ કાર્યવાહી દરમિયાન કોઇ
સામાન્ય નાગરિકોના મોત ના થાય.
ભારતના વિદેશ મંત્રી અનુસાર, પુલવામા આતંકી હુમલા બાદ જૈશ અને પાકિસ્તાનમાં સ્થિત અન્ય આતંકી જૂથો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે આતંરરાષ્ટ્રીય સમુદાયે પણ કહ્યું હતું. પરંતુ પાકિસ્તાને તેને ગંભીરતાથી લેવાના બદલે કોઇ પણ પ્રકારની કાર્યવાહીથી ઇન્કાર કરી દીધો. સાથે જ પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
સુષમાએ કહ્યું કે, આવા કાયરતાપૂર્ણ આતંકી હુમલા તમામ દેશોને ચેતવણી આપી રહ્યા છે. તેના વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ દેખાડવા અને નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. હાલમાં જ થયેલા પુલવામા હુમલા બાદ અમે સચેત છીએ. હુમલામાં અમારાં 40 જવાન શહીદ થયા હતા. જૈશ કાશ્મીરમાં પોતાની ગતિવિધિઓ સંચાલિત કરે છે. તેને પાક પાસેથી મદદ પણ મળે છે.
સુષમાએ બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને રશિયાના વિદેશ મંત્રી સર્ગે લાવરોવની સાથે વાતચીત કરી. તેઓએ કહ્યું કે, ગત વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ શી જિનપિંગની વુહાનમાં અનૌપચારિક મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો આવ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular