Friday, March 29, 2024
Home'ઉરી :ધ સર્જિકલ સ્ટ્રાઇક'ની ટીમનું 'પિરિયડ ડ્રામા' માટે ફરી ગેટ -ટુગેધર, વિકી...
Array

‘ઉરી :ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની ટીમનું ‘પિરિયડ ડ્રામા’ માટે ફરી ગેટ -ટુગેધર, વિકી કૌશલ ‘અશ્વત્થામા’નો રોલ નિભાવશે

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: ‘ઉરી :ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી ફેમસ થયેલ એક્ટર – ડિરેક્ટર ડ્યુઓ ફરીવાર સાથે એક પિરિયડ ડ્રામા માટે ભેગા થઇ રહ્યા છે. વિકી કૌશલે ખુદે આ વાતને પોતાની ઇન્સ્ટા સ્ટોરીથી કન્ફર્મ કરી છે. એક્ટર – ડિરેક્ટર ડ્યુઓ વિકી કૌશલ અને આદિત્ય ધર ‘ઉરી’ ફિલ્મ બાદ ફરી એકવાર મહાભારતના એક પાત્ર પર ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મ ‘અશ્વત્થામા’ પર આધારિત હશે અને આ ફિલ્મને પણ ‘ઉરી’ ફિલ્મના પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા જ પ્રોડ્યૂસ કરશે.

‘બિગ બજેટ’ ફિલ્મ
‘ઉરી’ ફિલ્મ બાદ ફિલ્મના મેકર્સ ફરી કંઈક રસપ્રદ અને મોટી સ્ટોરી સાથે એન્ટ્રી લેવા માગતા હતા. આદિત્ય આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઘણા લાંબા સમયથી કામ કરતા હતા, ‘ઉરી’ ફિલ્મની રિલીઝ અગાઉથી તે આ સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા. જ્યારે તેમણે ફિલ્મની સ્ટોરી વિશે રોની અને વિકીને કહ્યું, કે તરત જ બન્ને ફિલ્મમાં સામેલ થવા માટે રાજી થઇ ગયા. ફિલ્મમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાના રોલ માટે વિકી કૌશલની પસંદગી થઇ ચૂકી છે અને આ ફિલ્મ ‘બિગ બજેટ’ ફિલ્મ હશે.

શૂટિંગ
ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. આ ફિલ્મને લઈને આદિત્યે પ્રોપર રિસર્ચ ઓલરેડી શરૂ કરી દીધું છે અને તે ટૂંક સમયમાં જ ફિલ્મના શૂટિંગ માટેનાં લોકેશન શોધવાનું શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ અલગ – અલગ જગ્યાએ થશે. ફિલ્મમેકર્સ આ ફિલ્મને 2020ના વચગાળામાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular