જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગુજરાતી યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો. મોટર સાયકલ સવારને બચાવવા જતા બસ પલટી હતી. જેમા બેના મોત અને 24 યાત્રાળુઓ ઘાયલ થયા. યાત્રાળુઓથી ભરેલી બસ વૈષણોદેવીથી અમૃતસર જઈ રહી હતી. ત્યારે આ બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે જમ્મુની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 10 જેટલા યાત્રાળુઓને ફ્રેક્ચર થયા છે. અકસ્માત મામલે જમ્મુ ઝોનના ડીઆઈજીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ રેડ ક્રોસ અને જિલ્લાનું વહીવટી તંત્ર બચાવ કાર્યમાં કામે લાગ્યુ હતું.