વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે કુંભની મુલાકાતે જવાના છે. તેઓ બપોરના 2.30 વાગ્યાના અરસામા અરેલના ડીપીએસ ગ્રાઉન્ડમાં આવેલા હેલિપેડ ખાતે પહોંચશે. અહીથી તેઓ કારમાં સવાર થઈને ત્રિવેણી સંગમ પહોંચશે. કુંભમાં પીએમ મોદી 30 મિનિટ સુધી સ્નાન અને બાદમાં તેઓ પૂજા અને આરતી પણ કરશે. પીએમ મોદી સીએમ યોગી આદિત્યનાથ સાથે કુંભ મેળાની સ્વસ્છતા ટીમ સાથે પણ મુલાકાત કરશે. 3.20 કલાકે તેઓ સંગમ સ્થળેથી રવાના થઈને ગંગા પંડાલમાં હાજરી આપશે.
હેલિકોપ્ટર દ્વારા પ્રયાગરાજ જશે
કુંભ મેળાની મુલાકાતની તારીખ નક્કી થઇ ચૂકી છે. અહેવાલ મુજબ પીએમ મોદી આગામી ર૪ ફેબ્રુઆરીએ કુંભ જવાનો કાર્યક્રમ નક્કી થયો છે.
પીએમ મોદીની કુંભ મેળાની મુલાકાતની તારીખોને લઇને અટકળો પણ ચાલતી આવી છે. જેમા હવે ર૪મીએ તેઓ ગોરખપુરથી જ સીધા પ્રયાગરાજ જશે.
ર૪મી રવિવારે તેઓ ગોરખપુરમાં કિસાન યોજનાના લોંચ અને ભાષણ બાદ હેલિકોપ્ટર દ્વારા પ્રયાગરાજ જશે. ર૪મીએ બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેઓ કુંભ મેળાના હેલિપેડ પહોંચશે. અહી કાર્યક્રમ પતાવીને તેઓ દિલ્હી રવાના થશે.