ગોંડલ: ગોંડલ તાલુકાના વાછરા ગામે મજૂરી કામ કરતી મહિલા ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાછરા ગામે રહેતા અને મજૂરીકામ તેમજ ભંગાર વીણવાનું કામ કરતા વાલીબેન મનસુખભાઈ મકવાણા ઉમર વર્ષ 55 સવારના ગોંડલ સીમ રોડ પર લાકડા વીણવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી દરમ્યાન રોડ પર હત્યા કરાયેલી હાલતમાં તેઓની લાશ મળી આવતા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સાથે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજગુરુ પણ એમ્બ્યુલન્સ લઇ પહોંચી ગયેલ હતા.
ઘટના અંગે મરણ જનાર વાલીબેન ના ભાઈ સવજીભાઈ સોલંકી રહે રૂપાવટી વાળાઓએ જણાવ્યું હતું કે વાલીબેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય મજૂરીકામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા સંતાનમાં બે પુત્રો છે જેમાં એક પુત્ર માનસિક બીમારીથી પીડાતો હોય તેની જવાબદારી પણ વાલીબેન ઉપર હતી વાલીબેનના માથા ઉપર કોઈએ બોથડ પદાર્થનો માર મારેલું હોવાનું જણાઈ રહ્યું છે એ ઉપરાંત પગની પાછળની પિંડીમાં પણ ઘા ના નિશાન જણાઈ છે.