જયંતી ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. રેલવે SITએ જયંતી ઠક્કર નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, શાર્પ શૂટરને રૂપિયા જયંતી ઠક્કરે જ પહોંચાડ્યા હતા.
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. રેલવે SITએ જયંતી ઠક્કર નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, શાર્પ શૂટરને રૂપિયા જયંતી ઠક્કરે જ પહોંચાડ્યા હતા. એટલું જ નહીં શાર્પ શૂટરને રહેવાની વ્યવસ્થા પણ જયંતી ઠક્કરે જ કરી હતી.
તો સુરતમાં જયંતી ભાનુશાળીને દુષ્કર્મ કેસમાં ફસાવવામાં પણ આરોપી જયંતી ઠક્કરની સંડોવણી સામે આવી છે. હાલ આ તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, સાતમી જાન્યુઆરીના રોજ જયંતિ ભાનુશાળીની ટ્રેનના કોચમાં ગોળી મારીને હત્યા નીપજાવવામાં આવી હતી.