હસ્તરેખા વિજ્ઞાન અનુસાર, હાથની રેખાઓથી ભવિષ્ય સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે અંદાજ લગાવી શકાય છે. હસ્તરેખામાં હાથની રેખાઓ અને ચિન્હોનું પણ ઘણું મહત્વ હોય છે.
દરેક નિશાન સાથે સંકળાયેલી કેટલીય વાત છે. આજે અમે તમને જણાવી જઈ રહ્યા છે આંગળીમાં શંખના ચિહ્ન વિશે. શંખનું નિશાન કેટલી આંગળીઓમાં હોવું એ કેટલું સારુ છે અને તેનાથી ક્યાં સંકેત મળે છે તે બધા વિશે જાણો.
– હસ્તરેખાના અનુસાર અને સમુદ્રશાશસ્ત્ર મુજબ આંગળીઓમાં શંખનું નિશાન હોવું લાભાદાયી હોય છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિની પોરવોમાં શંખનું નિશાન હોય છે તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને બુદ્ધિમાન હોય છે.
– તે સિવાય આંગળીઓમાં શંખની નિશાની ઘણુ બધું જણાવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની પાંચ આંગળીઓમાં શંખનું નિશાન હોય તેને ક્યારેય જીવનમાં પૈસાની ખોટ નથી રહેતી. એટલું જ નહીં આવી વ્યક્તિને વિદેશ યાત્રા જવાની પણ તક મળે છે.
– એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિની દસ આંગળીઓમાં શંખનું નિશાન હોય છે તે સમગ્ર વિશ્વવમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને મહાન આત્મા બને છે.