ગાંધીનગર જીલ્લાના દહેગામ ખાતે જેસીઆઇ દ્વ્રારા દહેગામ તાલુકામાં ધોરણ-૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરિક્ષા પહેલાં અને પરિક્ષા દરમિયાન બાળક અને એમનાં વાલીઓને શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપતો ટ્રેનિક સેમીનાર જેસીઆઇ દહેગામ દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ તેમાં મુખ્ય વક્તા અરવિંદસિંહ રાઠોડ તેમજ જીલ્લાં શિક્ષણ અધિકારી ભરતભાઈ વઢેર , મહામંત્રી સંજયભાઈ રાવલ તેમજ પ્રમુખ જૈનિક શાહ જેવાં મહાનુભાવો હાજર રહી આ સેમીનાર માં વિદ્યાર્થીઓનાં શિક્ષણ અંગેની વિસ્તૃત માહીતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં અને આ હોલમાં મોટી સંખ્યામાં શાળાનાં વિદ્યાર્થીઓ વાલીઓ અને જુદી જુદી શાળાના સંચાલકો હાજર રહેવા પામ્યા હતા