વડોદરાઃ પાદરાના જૈન વિહાર સેવા ગૃપે પક્ષીઓને દોરીના ગુચ્છાથી બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં દોરીના ગુચ્છાઓ ખરીદી માટેનું કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં એક કિલો દોરીના ગુચ્છા આપી જાય તેઓને 1 કિલો દોરીના ગુચ્છાના 100 રૂપિયા આપ્યા હતા. જેથી પાદરાના લોકોએ મોટી સંખ્યામાં દોરીના ગુચ્છા જૈન વિહાર સેવા ગૃપને આપ્યા હતા.
જૈન વિહાર સેવા ગૃપના સભ્યએ જણાવ્યું હતું કે, આજે પહેલા દિવસે 200 કિલો દોરીના ગુચ્છા લોકો આપી ગયા છે. અમારો આશય પક્ષીઓને બચાવવાનો છે. આવતીકાલે પણ બપોરે 2થી 5 દરમિયાન કેન્દ્ર ચાલુ રહેશે.