Saturday, April 20, 2024
Homeપુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ માર્યા 18 આતંકીઓ
Array

પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ માર્યા 18 આતંકીઓ

- Advertisement -

નવી દિલ્હી: લેફ્ટિનન્ટે જનરલ જે.એસ. ઢિલ્લને આજે ખુલાસો કર્યો છે કે, છેલ્લાં 21 દિવસમાં 18 આંતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને તેમાંથી 8 આતંકીઓ પાકિસ્તાનના હતા. સેના દ્વારા ગઈકાલે સાંજે પુલવામાના ત્રાલમાં શરૂ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં પણ 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સેના તરફથી એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમાં જૈશના બીજા ક્રમના કમાન્ડર અને પુલવામાનો માસ્ટર માઈન્ડ ગણવામાં આવતા મુદ્દિસરને પણ ઠાર કરવામાં આવ્યો છે.

જે.એસ. ઢિલ્લને કહ્યું છે કે, નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આતંકીઓ સામે સતત કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે અને આતંકીઓને મદદ કરતા લોકોને પણ છોડાશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular