Friday, March 29, 2024
Homeપ્રાંતિજ ખાતે એકલિગજી દાદા નો પાટોત્સવ યોજાયો , હવન,પૂંજા સહિત ના...
Array

પ્રાંતિજ ખાતે એકલિગજી દાદા નો પાટોત્સવ યોજાયો , હવન,પૂંજા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

- Advertisement -

 

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો. 

 

 

 

પ્રાંતિજ બજારચોક ગુર્જર ની પોળ ના નાકા  ખાતે આવેલ શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિર ના ચોકમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજસ્થાન ખાતે આવેલ શ્રી એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો તો પ્રાંતિજ ખાતે વર્ષો પહેલા રાજસ્થાન થી મેવાડા ત્રિવેદી સમાજ જોષી સમાજ ના બ્રાહ્મણો રાજસ્થાન છોડીને સાબરકાંઠા ના પ્રાંતિજ માં વસવાટ કર્યો હતો અને ત્યારથી જ અહીં છેલ્લાં કેટલાય વર્ષોથી શ્રી એકલિગજી દાદા નો પાટોત્સવ અહીં આવેલ શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે પોતાનાં ઈષ્ટ દેવ નો પાટોત્સવ ત્રિવેદી મેવાડા કે જોષી સમાજ ના લોકો દ્વારા  અહીં ઉજવવામા આવે છે તો આ વખતે  ભાર્ગવ ભાઇ બી.પંડયા  ના મુખ્ય યજમાન પદે શ્રી એકલિગજી દાદા નો  પાટોત્સવ યોજાયો હતો જેમાં પૂંજા  , હવન  , આરતી સહિત દિવસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં તો શાસ્ત્રી પ્રશાંત ભાઇ ત્રિવેદી તથા શાંન્તીલાલ ત્રિવેદી દ્રારા મંત્રોચ્ચાર દ્વારા આખુંય વાતાવરણ ભકિત મય બન્યું હતું  તો મેવાડા ત્રિવેદી- જોષી સમાજના ભાઇ- બહેનો તથા  ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને યજ્ઞ સહિત આરતી માં ઉપસ્થિત રહી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી તો કનુભાઇ પંડ્યા , રાકેશભાઇ જોષી , પરાગભાઈ ત્રિવેદી , અરૂણભાઇ જોષી દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular