નવી દિલ્હીઃ ક્રિકેટર શ્રીસંત પરથી સુપ્રીમ કોર્ટે IPL સ્પોર્ટ્સ ફિક્સીંગ કેસમાં આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCIને શિસ્ત અંગેની કાર્યવાહી કરવાનો હક છે. કોર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCI શ્રીસંત પર લગાવેલા પ્રતિબંધ પર એકવાર ફરી વિચાર કરે, કોર્ટે કહ્યું કે, BCCIએ ત્રણ મહિનાની અંદર આ અંગેનો નિર્ણય કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈએ શ્રીસંતની વાત પણ સાંભળવી જોઈએ. આજીવન પ્રતિબંધની સજા યોગ્ય નથી.
શ્રીસંત પર IPL-2013માં સ્પોર્ટ્સ ફિક્સીંગનો આરોપ
2015માં નીચલી કોર્ટે શ્રીસંતને સ્પોર્ટ્સ ફિક્સીંગના ગુનામાંથી બરતરફ કર્યા
નીચલી કોર્ટે 2015માં શ્રીસંતને કથિત સ્પોર્ટ્સ ફિક્સીંગના ગુનામાંથી બરતરફ કર્યા હતા. જો કે, ત્યારબાદ કેરલ હાઈકોર્ટે શ્રીસંત પર લગાવેલા આજીવન પ્રતિબંધને પુનઃસ્થાપિત કર્યો હતો. શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટનાં નિર્ણયને પડકારતી અરજી કરી હતી. શ્રીસંતે તેમની અરજીમાં નીચલી કોર્ટનો હવાલો આપતા કહ્યું હતુ કે, BCCI તરફથી તેમની પર આજીવન પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કઠોર છે. એવો કોઈ પણ પુરાવો પણ નથી જેનાથી સાબિત થઈ શકે કે તેઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ હતા.