Friday, March 29, 2024
Homeદુબઇ : બસ દૂર્ઘટનામાં 8 ભારતીય સહિત 17 લોકોનાં મોત, 5ને ગંભીર...
Array

દુબઇ : બસ દૂર્ઘટનામાં 8 ભારતીય સહિત 17 લોકોનાં મોત, 5ને ગંભીર ઇજા

- Advertisement -

ઓમાનથી વેકેશનની રજા માણી પરત ફરી રહેલા યાત્રીઓ ભરેલી બસ શેખ મોહમ્મદ બિન જાયેદ રોડ પર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત નિપજ્યાં છે જેમાં છ ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

દુબઇ પોલિસે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે 31 લોકોને લઇને જઇ રહેલી બસ એવા સમયે દૂર્ઘટનાગ્રસ્ત થઇ જ્યારે તે મેટ્રો સ્ટેશન પાસે ગાઇડ દર્શાવતાં બોર્ડ સાથે ટકરાઇ. આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને રાશિદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

દુબઇ પોલીસે કહ્યું છે કે દૂર્ઘટનામાં માર્યા ગયેલા 17 લોકો અલગ-અલગ દેશના છે. જેમાં પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દુબઇમાં સ્થિત ભારતીય વાણિજય દૂતાવાસે જણાવ્યું છે કે અમને જણાવતા દુખ થાય છે કે સ્થાનિક અધિકારીઓ અને સંબંધિઓના અનુસાર અત્યાર સુધી આઠ ભારતીયોની આ દુબઇ બસ દૂર્ઘટનામાં મોત થવાની પુષ્ટી થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular