એર ઇન્ડિયાના મુસાફરોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. સૉફ્ટવેરમાં ખારાબીના ચાલતા શનિવારે બાદ રવિવાર પણ 137 ફ્લાઇટ્સની કામગીરી પર અસર જોવા મળી. શનિવારે આખા વિશ્વમાં એર ઇન્ડિયાના હજારો લોકો મુસાફરીની તકલીફ પડી હતી.
ઉડાનમાં 197 મિનિટ વિલંબ
રવિવારે ઉડાનમાં 197 મિનિટનો વિલંબ થઇ રહ્યો છે. શનિવારની કુલ 149 ફ્લાઇટ્સ પર અસર જોવા મળી હતી. ટેકનિક્લી ખરાબીના ચાલતા એર ઇન્ડિયાના ચેક-ઇન, સામાન અને રિઝર્વેશન સોફ્ટવેરમાં મુશ્કેલીઓ આવી ગઈ હતી. શનિવાર રાત્રે 8.30 વાગ્યે શિડ્યુલ ફ્લાઇટ્સ પર તેની અસર પડી છે. એર ઇન્ડિયા ગ્રુપ રોજના લગભગ 674 ઉડ્ડયનને સંચાલિત કરે છે.
પાંચ કલાક અવરોધ રહ્યો હતો
‘સીતા’ દ્વારા સંચાલિત સૉફ્ટવેર ના ચાલવાના કારણે વિશ્વભરમાં રિઝર્વેશન, ચેક-ઇન અને સામાન સિસ્ટમો સ્થગિત થઇ ગઈ છે. મેન્યુઅલ કાર્ય કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ ત્યાં કોઈ સફળતા મળી નહોતી. લગભગ પાંચ કલાક સખત મહેનત પછી, તે સવારે 8.45 વાગ્યે ઠીક કરી શકાય, પરંતુ 85 જેટલી ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થઈ હતી.
એર ઇન્ડિયા સીતા એસઆઈટીએ કંપનીના પીએસએસનો ઉપયોગ કરે છે. દેશમાં અન્ય કોઈ એરલાઇન આ સિસ્ટમનો ઉપયોગ કરતી નથી. સીતાને એર ઇન્ડિયાની સેવાઓના ભંગ બદલ વળતર આપવા પર લોહાનીએ કહ્યું કે આ બાબત ધ્યાનમાં લેવામાં આવશે. ગયા વર્ષે 23 મી જૂને એરલાઇનના ચેક-ઇન સૉફ્ટવેરમાં ટેકનિક્લી સમસ્યા આવી હતી. આના પરિણામે 25 સ્થાનિક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો અને આઇજીઆઇ એરપોર્ટ સહિતની ઘણા એરપોર્ટ પર અફરાતફર મચી ગઈ હતી.