બોલિવૂડ એક્ટ્રેસ આરતી છાબરિયાએ વિશારદ બીડેસી સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ 24 જૂનના રોજ મુંબઈમાં પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. આરતી ‘ખતરો કે ખિલાડી 4’ની વિનર હતી. લાંબા સમયથી આરતી તથા વિશારદના સંબંધોમાં ચર્ચામાં હતાં. 11 માર્ચે આ બંનેએ મોરેશિયસમાં સગાઈ કરી હતી.
અચાનક જ જૂનમાં લગ્ન કર્યાં
આરતી તથા વિશારદ પહેલાં જુલાઈમાં લગ્ન કરવાના હતાં. જોકે, પછીથી બંનેએ 24 જૂને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. આ લગ્નમાં બંનેના પરિવાર, ક્લોઝ ફ્રેન્ડ્સ તથા નિકટના સંબંધીઓ હાજર રહ્યાં હતાં. લગ્ન હિંદુ રીત-રિવાજ પ્રમાણે થયા હતાં. લગ્નમાં ટીવી કપલ શીના બજાજ તથા રોહિત પુરોહિત પણ આવ્યા હતાં.
વિશારદ ભારતમાં સેટલ થશે
વિશારદ મોરેશિયસમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. લગ્ન બાદ વિશારદ ભારત શિફ્ટ થશે. આરતીએ ‘ખતરો કે ખિલાડી 4’ બાદ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘આવરા પાગલ દિવાના’માં કામ કર્યું હતું. આરતીએ ‘લજ્જા’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘પાર્ટનર’ તથા ‘મિલેંગે મિલેંગે’ સહિત અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. આરતીએ ‘ઝલક દિખલાજા 6’માં પણ ભાગ લીધો હતો. આરતી છેલ્લે ટીવી શો ‘ડર સબકો લગતા હૈં’માં જોવા મળી હતી.