- Advertisement -
ભરૂચ: કબીરવડ પાસે નર્મદા સૂકીભઠ બની જતાં નદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છે. પ્રવાસીઓને હોડીમાં બેસાડવા માટે ખાનગી એજન્સીઓ દ્વારા ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાયું છે. ડેમમાંથી પાણી ન છોડાતા એજન્સીએ મઢી ઘાટથી કબીરવડ સુધી ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.