ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બીએસએફના સહાયક કમાન્ડેટ વિનય પ્રસાદની શહાદતનો બદલો લીધો છે..અને પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. ગુરુવારે ઉત્તરી સેનાના કમાન્ડરે કહ્યુ કે સીઝફાયર ઉલ્લંઘનના વળતા જવાબમાં ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં પાંચ પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા છે.
પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સરહદ પર ગોળીબાર કર્યો હતો.પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેનાની ચોકીઓને ટાર્ગેટ કરી હતી. જેથી સ્થાનિકોમાં પણ ફફડાટ સર્જાયો હતો. જોકે ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપતા પાંચ સૈનિકોને ઠાર મારવામાં આવ્યા છે..ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ગોળીબાર શરૂ થયો.
સવારે સાડા છ વાગ્યા સુધી ચાલી હતી. અને આ ગોળીબારનો જવાબ આપતા પાકિસ્તાનના પાંચ સૈનિકોને ઠાર મારવામાં આવ્યા. ભારતીય સેના દ્વારા થયેલી આકરી જવાબી કાર્યવાહીને બીએસએફના સહાયક કમાન્ડેટ વિનય પ્રસાદની શહીદીના બદલા રૂપે જોવામાં આવે છે. મંગળવારે સાંબા સેક્ટરમાં થયેલા ગોળીબારમાં વિનય પ્રસાદ શહીદ થયા હતા.