- Advertisement -
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનોજ બાલધાએ ભૂગર્ભ ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કોઇ કાર્યવાહી ન કરાતા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે આજે જામકંડોરણા પોલીસે તેની અટકાયત કરી હતી. ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ મનોજ બાલધાએ કર્યો હતો.