- Advertisement -
મધ્યપ્રદેશમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે અહીંના લીલાછમ જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. વરસાદ વરસ્યા પછી ઝરણા વહી રહ્યા છે. આ ઝરણાંને જોતાં એવું લાગે છે કે, જાણે દૂધની ધારા વહી રહી હોય. ઇન્દોરનો તિંછા ફૉલ હોય કે, છત્તરપુરનો જટાશંકર ફૉલ, પન્ના ફૉલ હોય કે, પંચમઢીનો વૉટર ફૉલ દરેક જગ્યાએ પર્યટકો ઝરણાંની સુંદરતાં જોવા આવી રહ્યા છે.