ચીનમાં કોરોનામાં નવા પ્રકારના વેરિઅન્ટને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ સાવચેતી વર્તી રહી છે. તેને લઇ સમીક્ષા બેઠકો શરુ થયેલી જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. જેમાં, પરિસ્થિતિનો સામનો કરવા અને કોઈ મોટી મુશ્કેલી સાબિત ન થાય તેમજ તેનાથી બચવા માટે એક યોજના બનાવવામાં આવશે. આરોગ્ય પ્રધાને ગઈ કાલે રાજ્યસભામાં ભારતની તૈયારીઓને લઇ નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. હાલ ચીન અને ભારત વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ જોવા મળતી નથી પરંતુ લોકો અન્ય રૂટથી ભારત આવે છે. તેવી સ્થિતિમાં, અમે સંપૂર્ણ સાવધાની સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
કોરોના વાયરસની ફરી દહેશતને પગલે એકવાર ફરી માસ્કના દિવસો પરત આવવાના શરુ થઈ ગયા છે. કર્ણાટકમાં આરોગ્ય અધિકારીઓએ ગુરૂવારે કોવિડ સુરક્ષા પ્રોટોકોટ જાહેર કર્યો છે. આ પ્રોટોકોટ હેઠળ ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવાયું છે. રાજ્ય સરકારની એડવાઈઝરી મુજબ લોકોએ કોવિડથી સુરક્ષીત રહેવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ માસ્કના દિવસો પરત આવવાના અણસાર જોવા મળી રહ્યા છે. મુંબઈના મુંબા દેવી મંદિર મેનેજમેન્ટે ભક્તોને મંદિરમાં દર્શન દરમિયાન માસ્ક પહેરવાના આદેશનું પાલન કરવાની અપીલ કરી છે. ઉપરાંત, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને ગઈ કાલે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.