નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી આજે મનકીબાત કાર્યક્રમનાં 53માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને આ વખતનાં એપિસોડને ખાસ કહ્યો હતો. મનકીબાત કાર્યક્રમ સવારે 11 કલાકે શરૂ થવાનો છે. ધારાસભ્યોને ખેડૂતો સાથે મનકીબાતનો કાર્યક્રમ સાંભળવા માટે કહેવામાં આવ્યુ છે.
મનકીબાત કાર્યક્રમની શરૂઆત ઓક્ટોબર 2014માં થઈ હતી. ત્યારબાદ પીએમ નિયમીત રીતે રેડિયો પર આ કાર્યક્રમ દ્વારા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા આ એપિસોડને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જો આચારસંહિતા નહી લાગે તો મનકી બાતનો અંતિમ એપિસોડ ત્રીજી માર્ચે રહેશે.