Friday, March 29, 2024
Homeમાળિયામિંયાણા નજીક એસટી બસમાંથી આંગડિયા પેઢીના 25 લાખના થેલાની ચોરી
Array

માળિયામિંયાણા નજીક એસટી બસમાંથી આંગડિયા પેઢીના 25 લાખના થેલાની ચોરી

- Advertisement -

મોરબી: માળિયા મિયાણા નજીક આંગડીયા પેઢીનો 25 લાખનો થેલો ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે. માળીયામિંયાણા નજીક આવેલી એક હોટલ પાસે એસટી બસમાંથી આંગડીયા પેઢીના સોના-ચાંદીના ઘરેણાં ભરેલા થેલાની ચોરી થઇ હતી. રાજકોટ – ભૂજ રૂટ પર ચાલતી એસટી બસ માળિયા મિંયાણા નજીક માધવ હોટલ પાસે રોકાઇ હતી. અહીં આંગડિયા પેઢીના કર્મચારી એચ.પ્રવિણકુમાર ચા-નાસ્તો કરવા ઉતર્યા હતા. પરત ફરતાં તેમણે જોયું કે તેમનો રૂપિયા 25 લાખના સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો ગુમ હતો. બસમાં બેઠેલા રોહિતકુમાર ગોસ્વામી નામના કર્મચારીનો થેલો ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આંગડિયા પેઢીના માલિક નિકુંજ પ્રવીણભાઈ પારેખે માળિયામિંયાણા પોલીસ મથકે 25 લાખની સોના-ચાંદીના ઘરેણાં ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. બે અજાણ્યા વ્યક્તિ અને એક સફેદ કલરની ગાડીમાં સવાર વ્યક્તિ સહિત એમ કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular