Friday, March 29, 2024
Homeમોદી ભક્તોએ આબેહૂબ વડાપ્રધાનનું પૂતળું બનાવ્યું, સેલ્ફી માટે આકર્ષણનું કેન્દ્ર
Array

મોદી ભક્તોએ આબેહૂબ વડાપ્રધાનનું પૂતળું બનાવ્યું, સેલ્ફી માટે આકર્ષણનું કેન્દ્ર

- Advertisement -

રાજકોટ: રાજકોટમાં આજે સ્વામિનારાયણ મંદિરમાં સવારે 10 વાગે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં વિજય રૂપાણીએ પ્રથમવાર વોટિંગ કરનારા યુવાનોને સંબોધ્યા હતા. પરંતુ મોદીનું આબેહૂબ પૂતળું આર્ટિસ્ટોએ સંમેલનમાં મુકતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પૂતળું બનાવનાર નિર્મળભાઇએ જણાવ્યું હતું કે, આ પૂતળું બનાવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદર પણ જોડાયા હતા. અમે આઠથી વધુ યુવાનોઓએ આ પૂતળું બનાવ્યું છે. જે યુવા સંમેલનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોદીના પૂતળા સાથે 1500થી વધુ યુવાનોએ સેલ્ફી લીધી હતી. આ ચોકીદારરૂપી પૂતળાને ચોકીદારી કરે તેવી જગ્યાએ મુકવા યુવાનોમાં વિચારણા ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular