રાજકોટ: રાજકોટમાં આજે સ્વામિનારાયણ મંદિરમાં સવારે 10 વાગે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં વિજય રૂપાણીએ પ્રથમવાર વોટિંગ કરનારા યુવાનોને સંબોધ્યા હતા. પરંતુ મોદીનું આબેહૂબ પૂતળું આર્ટિસ્ટોએ સંમેલનમાં મુકતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પૂતળું બનાવનાર નિર્મળભાઇએ જણાવ્યું હતું કે, આ પૂતળું બનાવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદર પણ જોડાયા હતા. અમે આઠથી વધુ યુવાનોઓએ આ પૂતળું બનાવ્યું છે. જે યુવા સંમેલનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોદીના પૂતળા સાથે 1500થી વધુ યુવાનોએ સેલ્ફી લીધી હતી. આ ચોકીદારરૂપી પૂતળાને ચોકીદારી કરે તેવી જગ્યાએ મુકવા યુવાનોમાં વિચારણા ચાલી રહી છે.