રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે પીએમ મોદીને ફરીવાર પીએમ તરીકે ચૂંટવાની અપીલ કરી.. યુપીના અલીગઢ ની મુલાકાતે આવેલા કલ્યાણ સિંહે જણાવ્યુ કે પીએમ મોદીને ફરીવાર ચૂંટવા એ દેશ અને સમાજની જરૂરીયાત છે. અલીગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર અંગે ચાલી રહેલા વિરોધ બાદ કલ્યાણ સિંહે કહ્યુ કે, આપણે ભાજપના કાર્યકર તરીકે કામ કરવુ જોઈએ.
કલ્યાણસિંહના નિવેદન બાદ નારાજ થયેલા ભાજપના સાંસદ સતીશ ગૌતમના સમર્થકોએ પાર્ટી વિરોધી નારેબાજી પણ શરૂ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, કલ્યાણ સિંહ રાજસ્થાનના ગવર્નર છે. 1992માં અયોધ્યામાં કાર સેવકોએ બાબરી મસ્જિદને ધ્વંશ કર્યા બાદ તેમણે 1999માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. બાદ કલ્યાણસિંહ ફરીવાર 2004માં ભાજપમાં સામેલ થયા અને 2014માં તેમને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.