Friday, March 29, 2024
Homeવડોદરાના ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહને ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ એનાયત કરાયો
Array

વડોદરાના ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહને ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ એનાયત કરાયો

- Advertisement -

વડોદરા: વડોદરાના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહને પહેલી મેના રોજ યોજાયેલા પ્રતિષ્ઠિત સન્માન સમારોહમાં ગુજરાત રત્ન ગૌરવ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે.

ડો. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન ગુજરાત પબ્લિક એફર્સ કાઉન્સિલ ઓફ કેનેડા તથા ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ.ના સંયુક્ત ઉપક્રમે પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિને અમદાવાદ એ.એમ.એ. હોલ ખાતે સમારંભ યોજાયો હતો. જેમાં બિહાર હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ ડો. જે.એન. ભટ્ટ, વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહારાજ જાણીતા ગાયક મનહર ઉધાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં ફૂટ એન્ડ એન્કલ ઓર્થોપેડિક્સ જેવા નવા ક્ષેત્રના દ્વારા ખોલી આપનાર તેમજ પગની ઘૂંટીને થ્રીડી પ્રિન્ટીંગ પદ્ધતિથી વિશ્વનું પહેલું ઓપરેશન કરવા બદલ ડો. રાજીવ શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular