- Advertisement -
વડોદરાઃ કારેલીબાગ ખાતે આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલના રૂમમાં આગ લાગી હતી. જેથી હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. આગના કારણે માનસિક આરોગ્યની હોસ્પિટલના દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડ, જી.ઇ. બી અને પોલીસ નોન સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ કાબૂમાં લેવામાં આવી હતી.આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.