વડોદરાઃ વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં ધાબા પર સુઇ રહેલા માતા-પુત્રીની પરોઢે 3 વાગ્યે હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. માતા-પુત્રીની હત્યા પાછળ પ્રેમ પ્રકરણની આશંકા સેવાઇ રહી છે.
માતા-પુત્રીની હત્યાની હત્યાની ખબર સવારે ખબર પડી હતી. જેથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. બેઝબોલના ફટકા મારીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પુત્રીના લગ્ન થઇ ગયા હતા. પરંતુ તે બુધવારે જ પિયરમાં રહેવા માટે આવી હતી.