દક્ષિણની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશ 30 વરસની વયે લગ્ન કરવાનો વિચાર કરી રહી છે. મીડિયામાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેત્રી લગ્ન પછી અભિનય છોડી દેવાની છે. જોકે આ બાબતે કીર્તી તેની ટીમ તેમજ તેના કૌટુંબિકજનોએ કોઇ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
એક રિપોર્ટમાં સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કહેવામાં આવ્યું છે કે, કીર્તિના પિતા સુરેશ અને માતા મેનકાએ તેના માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરી દીધી છે. કીર્તીએ લગ્ન કરવાનો વિચાર પેરન્ટસને જણાવી દેતાં તેઓ તેના માટે મુરતિયાની શોધ કરી રહ્યા છે. કહેવાય છે કે, કીર્તીના પરિવાજનોએ હાલમાં જ લગ્નની તૈયારીની રૂપે પોતાના કોટુંબિક ઘર અને કુળ દેવતાના મંદિરની મુલાકાત લીધી હતી.
તમિલ અને તેલુગુ સિેમાની ટોપ અભિનેત્રીઓમાંની કીર્તી સુરેશ ધીમે-ધીમે પોતાની એકટિંગની કારકિર્દી પર વિરામ મુકી રહી છે. ભવિષ્યમાં તેનું કેન્દ્ર ફક્ત પ્રોડકશન પર જ હશે. ઉલ્લેખનીય છે કે, બે વરસ પહેલા કીર્તિ સુરેશ પોલિટિકલ પાર્ટી સાથે સંબંધ ધરાવનાર કેરના એક બિઝનેસ ટાયકૂન સાથે લગ્ન કરવાની અફવા હતી. જોકે એ વખતે કીર્તીએ આ વાતનું ખંડન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.