- CN24NEWS-11/01/2019
- સુરતઃ
મજૂરાગેટ સ્થિત ઈએસઆઈસીની બહાર મજદૂર સંઘ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. મજદૂર સંઘ દ્વારા ઈએસઆઈસીની 100 બેડની હોસ્પિટલ બનાવવાની માંગ કરવામાં આવી હતી. નવસારીના સાંસદ સીઆર પાટીલ વિચન નિભાવોના બેનર સાથે મજદૂરો દ્વારા ધરણા કરવામાં આવ્યાં હતાં. મજદૂરોનો આક્ષેપ હતો કે, પાટીલ વચનો આપીને ભુલી ગયાં છે. 26મી જાન્યુઆરી સુધીમાં હોસ્પિટલનું કામ ચાલુ કરવાની ચીમકી ઉચ્ચારી મજદૂરોએ જણાવ્યું હતું કે નહિતર ધારાસભ્ય અને મંત્રી તથા સાંસદોના ઘર તથા કચેરીઓ પર મજદૂરો દ્વારા ધરણાં કરવામાં આવશે.
Array
સુરતના મજૂરાગેટ પર મજદૂર સંઘ દ્વારા હોસ્પિટલની માંગ સાથે પ્રતિક ધરણાં
- Advertisement -
- Advertisment -