- Advertisement -
સુરતઃ સચિન વિસ્તારમાં આવેલા ગોકુળધામ સોયાયટીની મીટર પેટીમાં આગ લાગત રહિશોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, મીટર પેટીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ સોસાયટીની મીટર પેટી ખાખ થઈ જતા વિજળી ડૂલ થઈ ગઈ છે.