Friday, March 29, 2024
Homeહરિદ્વાર જઈ રહેલી વાનમાંથી 109 કિલો સોનું મળ્યું, કિંમત 40 કરોડ રૂપિયા
Array

હરિદ્વાર જઈ રહેલી વાનમાંથી 109 કિલો સોનું મળ્યું, કિંમત 40 કરોડ રૂપિયા

- Advertisement -

ગાઝિયાબાદઃ ઉતરપ્રદેશમાં મોદીનગરમાં શુક્રવારે સવારે પોલિસે ચકિંગ દરમિયાન એક વાનમાંથી 109 કિલોગ્રામ સોનું કબ્જે કર્યું. બજારમાં તેની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની આચરસંહિતા લાગુ થયા બાદ પોલિસ શંકાસ્પદ વાહનોના ચેકિંગનું અભિયાન ચલાવી રહી છે.

પોલિસના જણાવ્યા પ્રમાણે, હાલ એ અંગેની ઓળખ કરવામાં આવી રહી છે કે વાન કોની છે અને તેની અંદરના સોનાની માલિકી કોની છે ? વાનમાં સવાર ડ્રાઈવર અને ગાર્ડ સહિતના ચાર લોકોની પુછપરછ કરીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે વાનમાં બે પ્રાઈવટે સુરક્ષાગાર્ડ સિવાય અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું કે વાન અને સોનું બને હરદ્વાર લઈ જવાઈ રહ્યું હતું. સોનું કોની પાસે પહોંચવાનું હતું, ગાર્ડ તે અંગેની માહિતી ન આપી શક્યો. પોલિસ આ મામલામાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની મદદ લઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular